Connect Gujarat
Featured

રાજકોટ : સંત શ્રી જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતિ, વિરપુરમાં દર્શનાર્થીઓનું ઊમટ્યું ઘોડાપૂર

રાજકોટ : સંત શ્રી જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતિ, વિરપુરમાં દર્શનાર્થીઓનું ઊમટ્યું ઘોડાપૂર
X

"રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય જય જલારામ" એવા સમરથ સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વિરપુરધામ બન્યું જલારામ મય.

જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોના જીવન મંત્ર બનાવનાર પૂજ્ય જલારામ બાપાની આજે 221મી જન્મ જયંતી છે, ત્યારે વહેલી સવારથી જ પૂજ્ય જલારામ બાપાના ભક્તજનો વિરપુરધામ આવી પહોચ્યા છે. જલારામ બાપાની જન્મ જયંતી ઉજવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો વીરપુર આવી પહોંચ્યા છે. જેમાં વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. પૂજ્ય બાપાના પરિવારજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધીએ પુજા અર્ચના કરી પૂજ્ય જલારામ બાપાનું મંદિર ભક્તોને દર્શન માટે ખુલ્લું મૂક્યું હતું.

જોકે વિરપુરધામમાં બાપાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓને મોઢે માસ્ક તેમજ સેનેટાઇઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોએ વહેલી સવારથી જ ભજન, ધૂન કરતા કરતા બાપાના દર્શન કર્યા હતા. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ લોકોને પોતપોતાના ઘરે જ રહીને પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી ઉજવવા અનુરોધ કર્યો છે. તો સાથે જ સૌ ભક્તોએ મંદિરે પહોંચી પૂજ્ય જલારામબાપાના દર્શન કરી નવું વર્ષ કોરોનામુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.

Next Story