Connect Gujarat
Featured

રાજકોટ : ખોડલધામથી સોમનાથ સુધી યોજાઇ પદયાત્રા, જેતપુર ખાતે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ સહિત અન્ય ટ્રસ્ટીઓનું કરાયું ભવ્ય સ્વાગત

રાજકોટ : ખોડલધામથી સોમનાથ સુધી યોજાઇ પદયાત્રા, જેતપુર ખાતે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ સહિત અન્ય ટ્રસ્ટીઓનું કરાયું ભવ્ય સ્વાગત
X

ખોડલધામથી સોમનાથ સુધીની પદયાત્રાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓ પદયાત્રામાં જોડાયા છે, ત્યારે આ પદયાત્રા જેતપુર ખાતે આવી પહોચતા પાટીદાર આગેવાનોએ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની આગેવાનીમાં ખોડલધામથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મંગળવારની વહેલી સવારે ખોડલધામ ખાતે માતાજીના દર્શન કરી પદયાત્રીઓ ખોડલધામથી સોમનાથ સુધીની પદયાત્રા માટે રવાના થયા હતા. જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને તેમના પુત્ર સહિતના અન્ય ટ્રસ્ટીઓ આ પદયાત્રામાં જોડાયા છે.

જોકે આ પદયાત્રા રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આવી પહોચતા સ્થાનિક પાટીદાર આગેવાનોએ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પદયાત્રા શનિવારના રોજ સોમનાથ પહોંચી મંદિરે ધજા ચઢાવ્યા બાદ પરત ખોડલધામ આવી માતાજીના મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવશે.

Next Story