Connect Gujarat
Featured

રાજકોટ : હત્યાના ગુનામાં નિર્દોષ છુટેલા યુવકની જ હત્યા

રાજકોટ : હત્યાના ગુનામાં નિર્દોષ છુટેલા યુવકની જ હત્યા
X

રાજકોટના શાપર નજીક આવેલા પારડી ગામે હત્યાના ગુનામાં નિર્દોષ છુટેલા યુવાનની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

નવ માસ પૂર્વે જ હત્યાના ગુનામાં નિર્દોષ છૂટેલ મિતેશ જાદવની હત્યા કરાઈ છે. દિલીપ પરમાર, દિપક પરમાર, હરખો પરમાર સહિતના શખ્સોએ મિતેષ જાદવ સાથે ઝઘડો કરી માથાના ભાગે ઘા ઝીંકી દેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં શાપર પોલીસ, એલ.સી.બી અને. એ.સો.જી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

મિતેશને આઠ વર્ષની પુત્રી છે ત્યારે મિતેશની હત્યા થતાં આઠ વર્ષની બાળકીને પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. છેલ્લા નવ માસથી તે નિર્દોષ છૂટતાં પરિવારનું ગુજરાન ચલાવવા તે મજુરી કામ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે મૃતક મિતેશ વિરુદ્ધ વર્ષ 2014ની સાલમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે બાદ મિતેશની રાજકોટ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો જોકે છેલ્લા નવ માસથી તે નિર્દોષ જાહેર થતાં તે તેના પરિવાર સાથે પારડી ગામે રહેતો હતો

Next Story