Connect Gujarat
ગુજરાત

રાજકોટના કારખાનેદારની ગોંડલમાં કરાઈ હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટના કારખાનેદારની ગોંડલમાં કરાઈ હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
X

ગોંડલમાં શનિવાર સાંજે યુવકની કરપીણ હત્યા થતા ભારે હલચલ મચી ગઇ હતી. બાવાબારી શેરી ખાતે રાજકોટમાં બંગડીનું કારખાનું ધરાવતા વેપારી યુવકને અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી હત્યા કરતા વાતાવરણ તંગ બન્યું હતું.ગોંડલની મોટીબજાર બાવાબારી શેરી ખાતે હિરેન સુરેશભાઈ છાંટબાર નામના યુવકની અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી હત્યા કરી દેતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા આ યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. હિરેન છાંટબાર રાજકોટ ખાતે બંગડી બનાવવાનું કારખાનું ધરાવતા હતા. જે ગોંડલના જેતપુર રોડ પર રહેણાંક ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. એસપી બલરામ મીનાએ જણાવ્યું હતું કે, હત્યા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આથી તપાસ શરૂ છે.

Next Story