રાજકોટ : મહાનગરપાલિકાએ 147 જર્જરીત મકાનોને નોટીસ પાઠવી જવાબદારીમાંથી ખંખેર્યા હાથ

દર વર્ષે ચોમાસામાં જર્જરિત મકાનો પડતા દુર્ઘટના ઘટતી હોઈ છે. તો સાથે જ દર ચોમાસા પહેલા મહાપાલિકા અને નગરપાલિકા જર્જરિત ઇમારતોનો સર્વે પણ કરાવતી હોઈ છે. જે બાદ નોટિસ આપી યોગ્ય કાર્યવાહી પણ કરતી હોઇ છે. ત્યારે તાજેતરમાં જ મનપાના અધિકારીઓએ નોટિસ આપી માત્ર કાગળ ઉપર જ કાર્યવહી કર્યાનું સામે આવ્યું છે, ત્યારે જુઓ આ અંગે અમારો આ ખાસ રિપોર્ટ
રાજકોટના જૂના વિસ્તારોમાં અનેક મકાનો અને ઈમારતો જર્જરિત હાલતમાં ઢળી પડવાની કગાર ઉપર ઉભી છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત 147 જર્જરિત મિલકતોમાં રહેતા લોકોને ગત એપ્રીલ માસમાં નોટિસ આપવામાં આવી હતી. જેમાં મકાન માલિકે જર્જરિત મકાનનું રીપેરીંગ કરવું અથવા મકાન તોડી પાડવું તેવું જણાવેલ હતું. તેમ છતાં નોટીસની મુદત પૂર્ણ થયા બાદ મનપાના બાંધકામ વિભાગે રી-સર્વેની કામગીરી કાગળ ઉપર કરી નાખી હોવાનું સામે આવ્યું છે, ત્યારે માત્ર કાગળ ઉપર કામગીરી કરી નાખતા 100થી વધુ મિલકતોમાં રહેતા પરિવારો મોતના ભય હેઠળ જીવી રહ્યા છે.
મનપાના બાંધકામ વિભાગની નબળી કામગીરીના કારણે ગત માસે શ્રીનાથજી સોસાયટીમાં જર્જરિત મકાન ધરાશાઈ થતા વૃધ્ધ દંપતિને ઈજા પહોંચી હતી. ત્યારે ગુંદાવાડી, પરાબજાર, સોનીબજાર, ધર્મેન્દ્રરોડ, લાખાજીરાજ રોડ, જુનુ જાગન્નાથ સહિતના વિસ્તારોમાં અનેક મકાનો અને ઈમારતો જર્જરિત હાલતમાં ઉભી છે અને આ પ્રકારના મકાનોમાં અનેક પરિવારો વસવાટ કરી રહયા છે ત્યારે ભારે વરસાદના પગલે આ પ્રકારના અનેક મકાનો ઢળી પડશે તેવું નજરે જોઇ શકાય છે, છતાં ઓફિસમાં બેસી ચોપડામાં સર્વેની કામગીરી બતાવતી બાંધકામ શાખાના અધિકારીઓ આંખે પાંટા બાંધીને બેઠા છે અને દર વખતની માફક કોઇ મોટી દુર્ઘટના સર્જાય અને ઝુંબેશ શરૂ કરાય તેની રાહ જોઇ રહ્યા છે. આમ રાજકોટના અનેક પરિવારો ઉપર મોત ઝળુંબી રહ્યું છે અને તંત્ર તમાશો જોઇ રહ્યું છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMT