Connect Gujarat
ગુજરાત

સાંસદ મનસુખ વસાવા ઉવાચ: પાકિસ્તાન,બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમો છે ઘૂસણખોર

સાંસદ મનસુખ વસાવા ઉવાચ: પાકિસ્તાન,બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમો છે ઘૂસણખોર
X

રાજપીપળામાં રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા જાહેરસભા અને જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ સાંસદ મનસુખ વસાવા દ્વારા સૌ પ્રથમવાર ગુજરાતમાં ખોટા આદિવાસીઓના પ્રમાણ પત્રો મેળવી જે ચારણ ભરવાડ સહીતની જાતિઓએ અનામત નોકરી પ્રવેશ મેળવ્યો છે જે બાબતે રાજ્ય સરકારે આવા ખોટા પ્રમાણ પત્રો રદ કરી દીધા એના સમર્થનમાં અને CAA તથા NRC અંગે આદિવાસીઓમાં લોક જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો.

રાજપીપળા જીન કમ્પાઉન્ડમાં જાહેર સભા યોજી રાજપીપળાના જાહેર માર્ગો પર રેલી ફરી જિલ્લા કલેકટરને રાજ્યપાલ અને વડાપ્રધાનને સંબોધીને તેમની કામગીરીને સમર્થન આપાતું આવેદન આપ્યું હતું.જાહેર સભામાં સાંસદ મનસુખ વસાવાએ કૉંગ્રેસ અને બિટીપી પર આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે કોંગ્રેસ પાકિસ્તાન, બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમોને નાગરિક બનાવવાની વાત કરે છે પણ એ ભારતના નિવાસી નથી ઘૂસણખોર છે. BTPના લોકો આદિવાસીઓને ભરમાવવાનું કામ કરે છે

Next Story