Connect Gujarat
Featured

રામ મંદિર ટ્રસ્ટની આજે બેઠક, ભૂમિપૂજનનું મુહૂર્ત બહાર આવે તેવી સંભાવના

રામ મંદિર ટ્રસ્ટની આજે બેઠક, ભૂમિપૂજનનું મુહૂર્ત બહાર આવે તેવી સંભાવના
X

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના બાદ, રામ મંદિર નિર્માણની પ્રક્રિયામાં ઝડપ જોવા મળી રહી છે. આ સંદર્ભમાં, રામ મંદિર નિર્માણ સમિતિના પ્રમુખ નૃપેન્દ્ર મિશ્રા આજે અયોધ્યા પહોંચી રહ્યા છે. નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યામાં રામલાલાના દર્શન પણ કરશે. આ સાથે, રામજન્મભૂમિ પરિસરનો ચિતાર પણ મેળવશે.

તમને જણાવી દઈએ કે, રામ મંદિર ટ્રસ્ટની રચના બાદ નૃપેન્દ્ર મિશ્રા પહેલીવાર અયોધ્યાની મુલાકાતે છે. આ પહેલા ટ્રસ્ટના ઘણા સભ્યો અયોધ્યા પહોંચી ચૂક્યા છે. નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યામાં ટ્રસ્ટના અન્ય સભ્યો સાથે બેઠક કરશે.

Next Story