Connect Gujarat
Featured

રણબીર કપૂરના હમશકલ જુનૈદ શાહનું હાર્ટ એટેકથી મોત

રણબીર કપૂરના હમશકલ જુનૈદ શાહનું હાર્ટ એટેકથી મોત
X

ખુદ ઋષિ કપૂર પણ ઓળખી શક્યા નહોતા

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર જેવો હુબહુ દેખાતા જુનૈદ શાહનું શુક્રવારના રોજ હાર્ટ એટેકથી મોત થયું છે. 28 વર્ષીય જુનૈદ શાહ કાશ્મીરનો રહેવાસી હતો. જેનો દેખાવ રણબીર કપૂર જેવો લાગતો હતો. એક કાશ્મીરી પત્રકારે જુનૈદના મોત અંગે ટ્વીટ કરીને આ સમાચારની માહિતી આપી હતી. ટ્વીટ કરતા લખ્યું કે, હું જુનૈદનો પાડોશી હતો. જુનૈદ શાહ રણબીર કપૂર સાથેની સામ્યતાને કારણે રાતોરાત સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર લોકપ્રિય થયો હતો.

https://twitter.com/jameelyusuf/status/1284020679671640064

ઇન્સ્ટાગ્રામ પર જુનૈદે પોતાની અઢળક તસવીરો પોસ્ટ શેર કરતો હતો. તે તસવીરોમાં અલગ અલગ અંદાજમાં જોવા મળતો હતો. જેને હૃદયરોગની કોઇ બિમારી નહોતી. તે એક મહિના પહેલાં જ માતા-પિતા સાથે મુંબઇથી ઘરે પાછો ફર્યો હતો. તે મુંબઈમાં મોડેલિંગની નોકરી કરતો હતો.

જુનૈદ અને રણબીરને એક સાથે તસવીર માં જોઇ રણબીરના પિતા ઋષિ કપૂર પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઋષિ કપૂરે એક કોલાઝ તસવીર શેર કરી હતી. જેમાં એક તરફ રણબીર હતો અને બીજી તરફ જુનૈદ હતો. ટ્વીટમાં ઋષિ કપૂરે કહ્યું હતું કે, ઓ માય ગોડ, મારા પુત્ર નો પણ હમશકલ છે. હું ખાતરી પૂર્વક કહી શકતો નથી કે, કોણ અસલી છે અને કોણ નકલી.

Next Story