Connect Gujarat
દેશ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિસ્સામાં રૂપિયા ત્રણ હજાર કરોડનું કરશે નવું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિસ્સામાં રૂપિયા ત્રણ હજાર કરોડનું કરશે નવું રોકાણ
X

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓરિસ્સામાં રૂપિયા 3,000 કરોડનું નવું રોકાણ કરશે તેમ તેના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે જાહેરાત કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રાજ્યમાં સૌથી મોટા રોકાણકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે અને અત્યાર સુધીમાં રૂ 6,000 કરોડનું રોકાણ કર્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, અમે ઓરિસ્સામાં વધુ રૂ.3,000 કરોડનું રોકાણ કરવા પ્રતિબધ્ધ છીએ. અમારી રોકાણની વિચારધારાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, વિકાસની આગેકૂચમાં દરેકનું સશક્તિકરણ, એમ અંબાણીએ મેઇક ઇન ઓડિશા – કોનક્લેવ 2018માં કહ્યું હતું. અમારું મોટાભાગનું રોકાણ ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે હશે, એમ તેમણે ઉમેર્યું હતું.

અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ જિયો માત્ર વધુ એક વ્યવસાય નથી, ભારતને અને ઓરિસ્સામાં પરિવર્તન લાવવાનું મિશન છે. અમે છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં 30,000 જેટલા લોકો માટે રોજગારીની નવી તકોનું નિર્માણ કર્યું છે અને તેને નિભાવી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું. વડાપ્રધાનનું પ્રેરણાદાયી વિઝન ડિજીટલ ઇન્ડિયા વૈશ્વિક સ્તરે ભારતને ડિજીટલ ઇકોનોમીમાં અગ્રગણ્ય બનાવવાનું છે. આજે, સમગ્ર વિશ્વમાં ભારત સૌથી ઝડપથી ડિજીટલ બની રહેલી ઇકોનોમી છે, એમ અંબાણીએ નોંધ્યું હતું.

તેમણે કહ્યું હતું કે જિયોએ આશરે બે વર્ષ પહેલાં કામગીરી શરૂ કરી ત્યારથી તે ભારતના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનમાં અગ્રણી ભૂમિકા નિભાવે છે. રાજ્યની બિઝનેસ સમિટનું ઉદઘાટન કરતાં રવિવારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઉદ્યોગપતિઓને રાજ્યમાં રહેલી અસીમ તકોનો લાભ લેવા જણાવ્યું હતું કારણ કે રાજ્ય પૂર્વના ઉત્પાદન મથક બનવા તરફ ઝડપથી ઊભરી રહ્યું છે.

Next Story