“સાથ-જીયેંગે – સાથ-મરેંગે” પ્રેમી પંખીડાએ કમરે દુપટ્ટો બાંધી સાબરમતી નદીમાં જીવન ટુંકાવ્યું
BY Connect Gujarat17 Jan 2020 6:21 AM GMT
X
Connect Gujarat17 Jan 2020 6:21 AM GMT
અમદાવાદ: શહેરની સાબરમતી નદીમાં બ્રીજ પરથી
ઝંપલાવીને આત્મહત્યા કરવાના બનાવોમાં વધારો થતા તંત્ર દ્વારા બ્રીજ પર જાળી
લગાવવામાં આવી છે. જોકે જાળી લાગ્યા બાદ આત્મહત્યાના કિસ્સામાં કેટલાક અંશે ઘટાડો
તો જોવા મળ્યો છે. પરંતુ કેટલાક લોકો હવે રીવરફ્રન્ટ વોક વે પરથી નદીમાં ઝંપલાવી
રહ્યાં છે.
એક યુવક યુવતીએ દધીચિ બ્રિજ નીચે વોક વે પરથી
ઝંપલાવ્યું હોવાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ પર
પહોચ્યા હતાં. અને બંન્નેને બહાર કાઢ્યા હતાં. જો કે 108ને
બોલાવતા જ ફરજ પર હાજર સ્ટાફએ બંન્નેને મૃત જાહેર કર્યા હતાં.
Next Story