જાણો શું છે SBIના ગ્રાહકો માટે મહત્વના સમાચાર...
BY Connect Gujarat8 July 2020 10:13 AM GMT
X
Connect Gujarat8 July 2020 10:13 AM GMT
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેન્કે બુધવારે કહ્યું કે, ટૂંકા ગાળાના દેવા પર ફંડનો સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર ઘટાડીને 0.05થી 0.10 ટકા કર્યો છે. આ તમામ કપાત 10 જૂલાઇથી લાગુ થશે. SBI દ્વારા બહાર પાડેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, MCLRમાં આ ઘટાડો ત્રણ મહિના સુધીની લોન પર લાગુ રહેશે. તેનો હેતુ દેવા અને માગને ધપાવવાનો છે.
MCLRમાં કરેલી કપાત બાદ ત્રણ મહિનાના સમય ગાળામાં બેન્કનો વ્યાજદાર ઘટીને 6.65 ટકા વાર્ષિક રહેશે. આ દર બેંકના બેંચમાર્ક આધારિત વ્યાજ દરની બરાબરીમાં થઇ ગયો છે. સ્ટેટ બેંકની MCLR દરમાં આ સતત 14મો ઘટાડો છે. આ કપાત બાદ પણ આ રેટ બજારમાં ઓછો છે.
Next Story