Connect Gujarat
Featured

ફાઈઝર બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ‘કોવિશીલ્ડ’ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી

ફાઈઝર બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ‘કોવિશીલ્ડ’ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી
X

દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે કોરોના વાયરસ વેક્સીનને લઈને અગત્યની જાણકારી મળી રહી છે. અહેવાલ અનુશાર ફાઇઝર બાદ હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ પણ પોતાની કોવિશીલ્ડ વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. આ પગલાં સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની સમક્ષ અરજી કરનારી પહેલી સ્વદેશી કંપની બની ગઈ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મહામારી દરમિયાન ચિકિત્સા આવશ્યક્તાઓ અને વ્યાપક સ્તર પર જનતાના હિતનો હવાલો આપતા DCGIને કોવિશીલ્ડ વેક્સીનને મંજૂરી આપવા માટે અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા શનિવારે અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય યૂનિટે કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે અરજી કરી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ DCGIમાં અરજી દરમિયાન હવાલો આપ્યો છે કે ક્લીનિકલ પરીક્ષણના ચાર ડેટાથી આ જાણકારી મળી છે કે કોવિશીલ્ડ વેક્સીન ગંભીર લક્ષણવાળા કોરોના દર્દીઓની સારવારમાં ઘણી પ્રભાવકારી સાબિત થઇ છે. SIIએ જણાવ્યું કે ચારમાંથી બે પરીક્ષણ ડેટા બ્રિટન જ્યારે એક ભારત અને એક બ્રાઝિલથી સંબંધિત છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં સીરમના સીઈઓ અદાર પૂનાવાવાએ કહ્યું કે કોરોનાની રસી કોવિશીલ્ડ પરિક્ષણમાં 90 ટકા અસરદાર સાબિત થઈ છે. જલ્દી તમામ માટે ઉપયોગમાં લેવાશે. તેણે એમ પણ દાવો કર્યો છે કે એસ્ટ્રાજેનેકાએ 10 કરોડ ડોઝની સમજૂતી કરી છે. જાન્યુઆરી સુધી કોવિશિલ્ડની ઓછામાં ઓછા 100 મિલિયન ડોઝ ઉપલબ્ધ રહેશે. જ્યારે ફેબ્રુઆરીના અંત સુધી આની સેંકડો મિલિયન ડોઝ તૈયાર કરી શકાય છે.

Next Story