શિવસેનાનો ભાજપ પર કટાક્ષ – 105 વાળાની માનસિકતા સારી નથી, કેટલાક લોકોના પેટમાં દુખાવો
BY Connect Gujarat16 Nov 2019 2:57 AM GMT
X
Connect Gujarat16 Nov 2019 2:57 AM GMT
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનાવવાનો માર્ગ લગભગ નક્કી થઈ ગયો છે. કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી) પણ બનાવવામાં આવ્યો છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે મંત્રીઓને લઈને 14-14-12 નો ફોર્મ્યુલા પણ નક્કી થઈ ગયો છે. સાથે એ પણ નક્કી થઈ ગયું છે કે મુખ્યમંત્રી શિવસેનાના હશે.
દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ફરી એકવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. આ સાથે જ શિવસેનાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું છે કે મહારાષ્ટ્રમાં નવા સમીકરણને કારણે કેટલાક લોકોના પેટમાં દુખાવો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ શાસન લાદ્યા બાદ 105 વાળા લોકોનો આત્મવિશ્વાસ ફીણ જેવો થઈ ગયો છે. શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે 105 વાળાઓની માનસિકતા ઠીક નથી.
Next Story