Connect Gujarat
Featured

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
X

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ 82 વર્ષનાં મહંત નૃત્ય ગોપાલદાસ નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહંત નૃત્ય ગોપાલદાસ બુધવારે જન્માષ્ટમી મનાવવા મથુરા ગયા હતા. આજ સવારે તેમની તબિયત અચાનક બગડી હતી. CMOએ સ્વાસ્થય ટીમની સાથે પહોંચીને તેમની તપાસ કરી હતી અને તેમાં તેઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોન પર મહંત સાથે વાત કરીને તેમની તબિયત પૂછી હતી. યોગી આદિત્યનાથે ડોક્ટર નરેશ ત્રેહન સાથે વાત કરીને તેમને મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું હતું. પરંતુ ગત 5 ઓગસ્ટના અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન વખતે મંચ પર વડાપ્રધાન મોદી સાથે મહંત નૃત્ય ગોપાલદાસ પણ હાજર હતા.

મહંત નૃત્ય ગોપાલદાસ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ પણ છે. જન્માષ્ટમીના દિવસે બુધવારે રાતે તેઓ શ્રીકૃષ્ણના જન્મસ્થાન પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેઓ દરેક વખતે આ કાર્યક્રમમાં સામેલ થાય છે આ વખતે તેઓ અયોધ્યાથી પવિત્ર સરયૂ નદીનું જળ પણ બાળ ગોપળનો અભિષેક કરવા માટે લઈને ગયા હતા. તેઓ જન્મસ્થાનમાં ઠાકોરજીના અભિષેકના સમયે પણ બેઠા હતા. તેમના શિષ્યોએ જ અભિષેકની પરંપરા નિભાવી હતી.

મહંત નૃત્ય ગોપાલદાસ ગત મંગળવારે મથુરાના સીતારામ મંદિરમાં રોકાયા હતા. તેમના શિષ્ય ધર્મેન્દ્ર દાસે કહ્યું કે ચિંતા કરવા જેવું નથી. શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ છે. પરંતુ દવા આપ્યા પછી તેમને તાવ પણ ઉતરી ગયો છે. ઓક્સિજન સિલિન્ડર પણ મંગાવી લેવામાં આવ્યો છે.

Next Story