Connect Gujarat
સ્પોર્ટ્સ

શિખર ધવન અને શ્રેયસ અય્યર સહિત ટીમ ઈન્ડીયાના 8 ખેલાડી કોરોના પોઝિટીવ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે પહેલા ટીમ ઈન્ડીયા માટે માઠા સમાચાર આવ્યાં

શિખર ધવન અને શ્રેયસ અય્યર સહિત ટીમ ઈન્ડીયાના 8 ખેલાડી કોરોના પોઝિટીવ
X

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6ઠ્ઠી ફેબ્રુઆરીથી વેસ્ટઈન્ડીઝ સામેની 3 વનડે પહેલા ટીમ ઈન્ડીયા માટે માઠા સમાચાર આવ્યાં છે. શિખર ધવન, શ્રેયસ અય્યર, ઋતુરાજ ગાયકવાડ સહિત 8 ખેલાડીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

ભારતીય ક્રિકેટ ટીમ સાથે ત્રણ એક દિવસીય મેચ અને ત્રણ T-20 સીરીઝ માટે પ્રવાસી વેસ્ટ ઇન્ડીઝ ટીમ આજે સાંજે અમદાવાદ આવી પહોચી છે. અમદાવાદમાં વન ડે સીરીઝ અને કોલકાતામાં T20 સિરીઝમાં રમાશે. 3 વન ડે અને 3 ટી-20 સીરીઝ રમવા પહોચેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓને ત્રણ દિવસના ક્વોરન્ટીન રહેવુ પડશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં એક નવો ઈતિહાસ રચાશે. આ મેચ સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ 1000મી વન ડે રમનારી વર્લ્ડની પહેલી ટીમ બનશે.

આ ઐતિહાસિક મેચનું સાક્ષી અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બનશે. ત્રણ એક દિવસીય મેચની આ શ્રુંખલા 6 ઠ્ઠી ફેબ્રુઆરીથી શરુ થશે. જો કે.પૂર્વ નિર્ધારિત રીતે મોદી સ્ટેડીયમમાં એક પણ દર્શકને પ્રવેશ નહિ મળી શકે. તો કોલકાતામાં આયોજિત T20 સિરીઝમાં 75% દર્શકોને પ્રવેશ મળશે. આ T20 સીરીઝ 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં રમાશે

Next Story