IPLની તમામ મેચ યોજાઈ શકે છે મહારાષ્ટ્રના બે શહેરોમાં, તારીખો થઈ જાહેર
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સીઝન પર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ અંગે ગંભીર છે. બોર્ડે તમામ ફ્રેન્ચાઈઝી સાથે બેઠક યોજી હતી. વર્ચ્યુઅલ મીટિંગમાં એ વાત પર સહમતિ સધાઈ છે કે ટૂર્નામેન્ટની તમામ મેચ મહારાષ્ટ્રના બે શહેરો મુંબઈ અને પૂણેમાં યોજવામાં આવશે.
બીસીસીઆઈના સૂત્રોને જણાવ્યું છે કે આઇપીએલની 15મી સિઝન 27 માર્ચ (રવિવાર)થી શરૂ થઈ શકે છે. બીસીસીઆઈ ટુર્નામેન્ટનું આયોજન મહારાષ્ટ્રમાં કરવા માંગે છે અને પ્રથમ મેચ મુંબઈમાં યોજાય તેવી શક્યતા છે. બીસીસીઆઈ ભારતમાં જ ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. મુંબઈ અને પુણેના ચાર મેદાન એકબીજાની નજીક હોવાથી ત્યાં ઈવેન્ટ્સ સરળતાથી થઈ શકે છે. પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ સિવાય મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા (બ્રેબોર્ન સ્ટેડિયમ) અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મેચો યોજવામાં આવી શકે છે. આ દરમિયાન દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. મુંબઈ અને પૂણેમાં રમાનારી મેચ માટે ખેલાડીઓએ એરપોર્ટ જવું પડશે નહીં. તેઓ બસમાં મુસાફરી કરી શકે છે. આવી સ્થિતિમાં બહારના લોકોથી અંતર જાળવવામાં આવશે. જો કોવિડ-19ની સમસ્યા વધે તો યુએઇમાં ફરી એકવાર આઈપીએલ થઈ શકે છે. બોર્ડ દક્ષિણ આફ્રિકા માટે તૈયાર નથી. યુએઈમાં બે સિઝનમાં યોજાનારી મેચોને કારણે ત્યાં બોર્ડને આરામ મળશે. મીડિયામાં વિકલ્પ તરીકે શ્રીલંકાનું નામ લેવામાં આવી રહ્યું હતું, પરંતુ બેઠકમાં તેના વિશે કોઈ ચર્ચા થઈ ન હતી. આઈપીએલે હરાજીમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. આઈપીએલની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવાની છે. તેમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી 1214 ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આમાંથી 350 થી 400 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આઇપીએલ 2022ની હરાજી માટે કુલ 1214 ખેલાડીઓ (896 ભારતીય અને 318 વિદેશી) એ નોંધણી કરાવી છે, એમ IPLએ એક નિવેદનમાં જણાવ્યું હતું.