Connect Gujarat
સ્પોર્ટ્સ

રવિન્દ્ર જાડેજા અને CSK વચ્ચે બ્રેક-અપ?, સ્ટાર ઓલરાઉન્ડરે ફ્રેન્ચાઈઝી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી

રવિન્દ્ર જાડેજા અને CSK વચ્ચે બ્રેક-અપ?, સ્ટાર ઓલરાઉન્ડરે ફ્રેન્ચાઈઝી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી
X

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. આઈપીએલની 15મી સીઝનની શરૂઆત પહેલા ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા રવીન્દ્ર જાડેજાને પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ જાડેજા કેપ્ટનશિપમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો જેના પછી એમએસ ધોનીએ છેલ્લી કેટલીક મેચોમાં ફરીથી કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. આટલું જ નહીં જાડેજા ઈજાના કારણે CSKની બાકીની મેચોમાંથી પણ બહાર હતો.

હવે એવું લાગે છે કે રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સ કેમ્પમાં પાછા જવાના મૂડમાં નથી. રવિન્દ્ર જાડેજા આગામી IPL સિઝન શરૂ થાય તે પહેલા હરાજીમાં ઉતરે તેવી પૂરી સંભાવના છે. જાડેજા અને CSK પહેલાથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાને અનફોલો કરી ચૂક્યા છે. હવે જાડેજાએ શુક્રવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી છેલ્લા ત્રણ વર્ષથી CSKની તમામ પોસ્ટ હટાવી દીધી છે. આ દર્શાવે છે કે ખેલાડી અને ફ્રેન્ચાઈઝી વચ્ચેના સંબંધો ખૂબ જ બગડી ગયા છે. રવીન્દ્ર જાડેજાના નજીકના એક સૂત્રએ સ્પોર્ટ્સ વેબસાઈટને જણાવ્યું કે, 'હા, તે ખૂબ જ પરેશાન અને દુખી છે. કેપ્ટનશિપનો મુદ્દો વધુ સારી રીતે હેન્ડલ કરી શકાયો હોત અને બધું ખૂબ જ અચાનક થયું. વસ્તુઓ જે રીતે આકાર લે છે તેનાથી કોઈપણ માણસને દુઃખ થશે.

Next Story