રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલનો લીધો ઈન્ટરવ્યુ
સફેદ બોલના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી છે.
સફેદ બોલના ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવી છે. આ મેચમાં ભારતની જીતનો હીરો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હતો, જેણે ચાર વિકેટ ઝડપી હતી. ચહલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલનો ઈન્ટરવ્યુ પણ લીધો હતો. આ વાતચીતમાં બંને મસ્તી કરતા જોવા મળ્યા હતા સાથે જ આઈપીએલની હરાજી વિશે પણ વાત કરી હતી. રોહિત શર્માએ અહીં યુઝવેન્દ્ર ચહલને પૂછ્યું કે તેણે બ્રેકમાં કયા ફેરફારો કર્યા અને તેણે પોતાની બોલિંગને કેવી રીતે સુધારવાનો પ્રયાસ કર્યો. યુઝવેન્દ્રએ કહ્યું કે જ્યારે તે ટીમ ઈન્ડિયામાંથી બહાર હતો ત્યારે તેણે વિચારવાનો પ્રયાસ કર્યો કે તે વધુ સારું શું કરી શકે. આ સાથે તેણે બોલિંગમાં પણ ઘણા ફેરફારો કર્યા.
💯-plus ODI wickets 👏
— BCCI (@BCCI) February 7, 2022
Working on his bowling 👌
Tips for the road ahead ☺️
Captain @ImRo45 turns anchor & interviews @yuzi_chahal after #TeamIndia win the first @Paytm #INDvWI ODI in Ahmedabad. 😎 😎 - By @Moulinparikh
Watch the full interview 🎥https://t.co/tWZL5GFalz pic.twitter.com/Oz22p7hvOz
યુઝવેન્દ્ર ચહલે પણ અહીં રોહિત શર્માનો આભાર માન્યો કારણ કે તેણે ચહલને યાદ અપાવ્યું કે ગૂગલીનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. ચહલે કહ્યું કે આ મેચમાં તેણે એવું જ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેને સફળતા પણ મળી. મજાની વાત એ હતી કે જ્યારે બંનેની વાતચીત પૂરી થઈ ત્યારે રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલના વખાણ કર્યા અને કહ્યું કે તમે ટીમના મુખ્ય સભ્ય છો વસ્તુઓ ઉપર અને નીચે થતી રહે છે પરંતુ તમે આગળ વધતા રહો છો.