Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 World Cup 2021: BCCI એ સિલેકટ કરી લીધી 15 ખેલાડીઓની ટીમ, આજકાલમાં કરશે જાહેરાત

T20 World Cup 2021: BCCI એ સિલેકટ કરી લીધી 15 ખેલાડીઓની ટીમ, આજકાલમાં કરશે જાહેરાત
X

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલમાં ચાલી રહી છે. આજે મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે અને મેચ રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. બીજી બાજુ, એક મહિના પછી, યુએઈ અને ઓમાનમાં યોજાનારા આઈસીસી ટી 20 વર્લ્ડકપ માટે ટીમોએ તૈયારી શરૂ કરી દીધી છે. BCCI ના એક ઉચ્ચ અધિકારીએ એ વાતની પુષ્ટિ કરી હતી કે ચેતન શર્માની આગેવાનીવાળી પસંદગી સમિતિએ 15 સભ્યોની ભારતીય ટીમને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

પસંદગીકારો પહેલેથી જ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી બંનેને મળી ચૂક્યા છે અને તેમનો મત લઈ ચૂક્યા છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે પસંદ કરેલી ટીમની જાહેરાત સોમવારે સાંજે અથવા મંગળવારે સવારે કરવામાં આવશે. ઓગસ્ટ મહિનામાં જ, નક્કી કરવામાં આવ્યું કે આગામી ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમની જાહેરાત ચોથી ટેસ્ટ બાદ કરવામાં આવશે.

સૂત્રના જણાવ્યા અનુસાર, કેપ્ટન વિરાટ કોહલી અને પસંદગી સમિતિએ ઓવલ ખાતે ચોથી ટેસ્ટ પહેલા ટીમની પસંદગી અંગે એક વર્ચ્યુઅલ મિટિંગ કરી હતી અને તે બેઠક દરમિયાન ટીમ નક્કી કરવામાં આવી હતી. વધુમાં, સૂત્રએ કહ્યું કે ભારત પાસે પહેલેથી જ સારી ટી 20 ટીમ છે અને ચર્ચાઓ માત્ર થોડા ખેલાડીઓ બાબતે જ કરવાની હતી. ઉલ્લેખનીય છે કે, આઈસીસીએ તમામ ટીમોને 10 સપ્ટેમ્બર સુધીમાં પોતાની ટીમો જાહેર કરવા કહ્યું છે. આઇસીસી માત્ર 15 ખેલાડીઓનો ખર્ચ ઉઠાવશે અને જે તે બોર્ડ અન્ય ખેલાડીઓનો ખર્ચ ઉઠાવશે. આવી સ્થિતિમાં, BCCI ટી 20 વર્લ્ડ કપ 2021 માટે 20 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. આમાં, પાંચ ખેલાડીઓને રિઝર્વ તરીકે સમાવી શકાય છે.

ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ:

કેએલ રાહુલ, રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી (c), સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (wk) ) ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા

રિઝર્વ એન્ડ ઇન્જરી કવર:

રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી, પૃથ્વી શો, પ્રસિદ્ધ કૃષ્ણ, શિખર ધવન, મોહમ્મદ સિરાજ.

Next Story