Connect Gujarat
ગુજરાત

વાંકલ કોલેજના વિદ્યાર્થીઓની જેલ મુક્તિ માટે 3 કોલેજના વિદ્યાર્થીઓ ધરણા પર

વાંકલ કોલેજના વિદ્યાર્થીઓની જેલ મુક્તિ માટે 3 કોલેજના વિદ્યાર્થીઓ ધરણા પર
X

વાંકલ કોલેજના વિદ્યાર્થીઓની જેલ મુક્તિ માટે 3 કોલેજના વિદ્યાર્થીઓ ધરણા પર બેસી

ગયા હતા.

સુરતના માંગરોળ તાલુકાના વાંકલગામે આવેલ સરકારી કોલેજના વિદ્યાર્થીઓ ઉપર ગત 24 એપ્રિલના રોજ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ થવાની ઘટનામાં પોલીસ દ્વારા 22 વિદ્યાર્થીઓના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસ દ્વારા 8 મહિના બાદ 22 વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી.જેના વિરોધમાં આટ્સ, સાયન્સ, અને કોમર્સ વિદ્યાર્થીઓ દ્વારા વાંકલ કોલેજના મુખ્ય ગેટ પર જ ભેગા થઈ વિરોધ પ્રદશન શરૂ કર્યું હતું. જેમાં છેલ્લા 3 - 4 દિવસથી વિદ્યાર્થીઓનો જેલમાં પુરવામાં આવ્યા છે તેની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓ દ્વારા એક જૂથ થઈ માંગરોળ મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Next Story