Connect Gujarat
દેશ

સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના બંન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન ફગાવી

સુપ્રીમ કોર્ટે નિર્ભયા કેસના બંન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન ફગાવી
X

ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશે

નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા ડેથ વોરંટ જાહેર થયા બાદ બન્ને આરોપીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આ અંગે પાંચ જજોની બેંચ સુનાવણી કરી હતી. હવે આ કેસના ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશે. જસ્ટિસ એન રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ આર ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ બન્ને આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન પર સુનાવણી કરી હતી.

અરજીમાં આરોપી વિનય શર્માએ કહ્યું હતું કે, આ કાર્યવાહીના કારણે વિનયનો આખો પરિવાર

હેરાન થયો છે. આ ગરીબ પરિવારની કોઈ ભૂલ ન હતી, તેમ છતા તેમને સામાજિક હેરાનગતિ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો.

ચારેય આરોપીઓને જેલ નંબર 3માં ફાંસી આપવામાં આવશે. ત્રણ

આરોપીઓને જેલ નંબર 2માં રાખવામાં આવ્યા છે અને એકને જેલ નંબર 4માં રાખવામાં આવ્યો

છે. નિર્ભયાના કેસમાં ઘટનાના 2578 દિવસ બાદ ડેથ વોરંટ જાહેર થયું હતું. નિર્ભયાના

માતાએ કહ્યું હું સાત વર્ષથી સંઘર્ષ કરી રહી છું. પરંતુ 22 જાન્યુઆરીએ સૌથી ખાસ

દિવસ હશે.

Next Story