Connect Gujarat
સમાચાર

સુરતમાં લૂંટના ઈરાદે થયેલી મહિલાની હત્યામાં થયો મોટો ખુલાસો!

સુરતમાં લૂંટના ઈરાદે થયેલી મહિલાની હત્યામાં થયો મોટો ખુલાસો!
X

૨૮ વર્ષીય મહિલાની પતિએ જ તેના પિતરાઇ સાથે મળીને બાળકીની હાજરીમાં તેની માતાની હત્યા કરી નાખી

સુરતમાં કતારગામ ખાતે આવેલા રણછોડનગરમાં ગુરુવારે થયેલી હત્યામાં મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મહિલાની હત્યામાં તેનો પતિ જ હત્યારો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાંચની પૂછપરછ દરમિયાન પતિના પિતરાઇએ પોતાનો ગૂનો કબૂલ કરી લીધો છે. જોકે, મહિલાનો પતિ મનોજ ચોટલિયા હજી હત્યા કર્યાનો ઇન્કાર કરી રહ્યો છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ૨૮ વર્ષીય મહિલાની પતિએ જ તેના પિતરાઇ સાથે મળીને બાળકીની હાજરીમાં તેની માતાની હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં અનૈતિક સંબંધને લઈને રિયા અને મનોજ (પતિ-પત્ની) વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. મનોજ બપોરે જમવા આવ્યો ત્યારે તેને પોતાની પત્નીની હત્યા કરી હતી. બાદમાં તે ઘરેથી નાસી છૂટ્યો હતો. મનોજે તેની પત્ની રિયાને ગળેફાંસો આપ્યો હતો જ્યારે તેના પિતરાઇએ તેનું મોઢું પકડી રાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ગુરુવારે સુરત શહેરમાં લૂંટના ઇરાદે એક મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં એવી માહિતી સામે આવી હતી કે કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને તેનું ગળું દબાવી દીધું હતું. મહિલાના મોત બાદ તેની બે વર્ષની દીકરીએ માતાની મમતા ગુમાવી દીધી હતી. આ કેસમાં પોલીસ ઘરકંકાસના પાસાને ધ્યાનમાં રાખીને ઘરના જ કોઈ સભ્યએ હત્યા નથી કરીને તે દિશામાં તપાસ કરી હતી.

Next Story