Connect Gujarat
Featured

સુરત : આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા દીલ્હીથી આવશે નેતા, જુઓ કોણ કરશે રેલી

સુરત : આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા દીલ્હીથી આવશે નેતા, જુઓ કોણ કરશે રેલી
X

ગુજરાતમાં મહાનગરપાલિકાઓની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારો ઉભાં રાખ્યાં છે ત્યારે તેના પ્રચાર માટે દીલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા રવિવારના રોજ સુરત આવી રહયાં છે…

ગુજરાતમાં ભાજપના એકહથ્થુ શાસનને તોડવા માટે મહાનગર પાલિકાઓની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજયી બને તે માટે દીલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા રવિવારના રોજ સુરત ખાતે આવી રહયાં છે. આમ આદમી પાર્ટીએ સુરત મહા નગરપાલિકાની 130 બેઠકો પર 114 ઉમેદવારો ઉભાં રાખ્યાં છે. અગાઉ રાજયસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ સુરત આવ્યાં હતાં અને આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના મતદારો માટે શું કરશે તેની જાહેરાત કરી હતી.

હવે રવિવાર તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ દીલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા સુરત ખાતે મતદારોને સંબોધિત કરશે. સવારે 9 કલાકે સરથાણા જકાતનાકાથી વરાછાના અલગ અલગ વિસ્તારમાં ફરી હીરાભાગ ખાતે પૂર્ણ થશે ત્યારે બાદ બપોરે 3.30 કલાકે કતારગામના ગજેરા સર્કલથી અલગ અલગ વિસ્તારમાં રેલી યોજી આંબાતળાવડી ખાતે પૂર્ણ થશે. રવિવારના રોજ સાંજે અલગ અલગ જન સભા યોજાશે.

Next Story