સુરત: અડાજણ વિસ્તારમાં ઝૂપડામાં લાગી આગ,પછી શું થયું જુઓ
BY Connect Gujarat19 Jan 2021 9:06 AM GMT
X
Connect Gujarat19 Jan 2021 9:06 AM GMT
સુરતના અડાજણ વિસ્તારમાં ચોકસીની વાડી નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં એકાએક આગ ફાટી નીકળતા પાંચ ઝૂપડા આગમાં બળીને ખાક થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
કાપડ નગરી સુરતમાં આજે આગની ઘટના બની હતી. અડાજણ વિસ્તારમાં આવેલ ચોકસીની વાડી નજીક એક ઝૂપડામાં આગ લાગ્યા બાદ આગ વકરી હતી અને એક પછીએક પાંચ ઝૂપડા આગમાં બળીને ખાક થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઝૂપડાઓમા રહેલ ઘરવખરી આગમાં બળીને ખાક થઈ ગઈ હતી.આગ લાગવાનુ કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
Next Story