Connect Gujarat
ગુજરાત

સુરત: કેમિકલ કંપની ઝેરી રસાયણોનો નિકાલ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ખેડૂતોએ આપ્યું આવેદન

સુરત:  કેમિકલ કંપની ઝેરી રસાયણોનો નિકાલ સામે કડક પગલાં ભરવાની માંગ સાથે ખેડૂતોએ આપ્યું આવેદન
X

કેમિકલ કંપની ઝેરી રસાયણોનો નિકાલ ભરૂચમાં કરતા હોવાથી તેની સામે કડક પગલાં ભરવાની માંગ સાથે સુરતમાં કલેકટરને અપાયું આવેદન

સુરત ઓલપાડની હિંદુસ્તાન કેમિકલ કંપની ઝેરી રસાયણોનો નિકાલ ભરૂચમાં કરતા હોવાથી તેની સામે કડક પગલાં ભરવાની માંગ સાથે સુરતમાં કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

સુરત ઓલપાડ ખાતે આવેલી હિંદુસ્તાન કેમિકલ કંપની સાઈનાઈડના કેમિકલ બનાવે છે. આ કંપનીએ ત્રણ ટ્રક ઝેરી જોખમી રાસાયણિક ઘન કચરો ભરૂચ જીલ્લાના ઉમલ્લા તાલીકાના વણખૂટા ગામે નાખ્યો હતો.

તે કચરો ઠાલવતા ગામજનોએ રંગેહાથ પણ ઝડપી પાડ્યો હતો અને ઉમલ્લા પોલીસ મથકમાં આ સાઈનાઈડ યુક્ત કચરો નાખવા બદલ હિંદુસ્તાન કંપની તેમજ ટ્રક ડ્રાઈવર અને અંકલેશ્વરના કોઈ વેપારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે સુરતના ખેડૂત સમાજે ભારે સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

તેઓની માંગ છે કે આ બાબતે જીપીસીબીએ ફરિયાદ દાખલ કરે, ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલા ટ્રકના માલિકો, ડ્રાઈવરો, વેપારીઓ તેમજ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગુજરાતની જાહેર જનતાનું સ્વાસ્થ્ય જોખમમાં મુકવા બદલ આ કપની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી હતી.

Next Story