Connect Gujarat
ગુજરાત

સુરત : ઉદ્યોગપતિઓએ Modi Again' ની મુહિમ સાથે સુરતથી શિરડીની કરી પદયાત્રા

સુરત : ઉદ્યોગપતિઓએ Modi Again ની મુહિમ સાથે સુરતથી શિરડીની કરી પદયાત્રા
X

હાલ દિવાળી વેકેશન માં શિરડી યાત્રા પર સુરતના અનેક લોકો પદયાત્રા કરી રહ્યા છે. શુ તમે ક્યારેય સાંભળ્યું છે કે એક કરોડપતિ વ્યક્તિ પદયાત્રા પર નીકળ્યા હોય અને તે પણ પ્રધાનમંત્રી મોદી માટે ? નહીં ને ? પરંતુ સુરત માં કંઇક આવું જ જોવા મળ્યું છે.

સુરત ના ઉદ્યોગપતિ Modi Again' ની મુહિમ સાથે સુરતથી શિરડીની પદયાત્રા કરી છે.સુરત કરોડપતિ બિઝનેઝમેન મુકેશ પટેલ સહિત ૫૦૦ જેટલા લોકો શિરડીની પદયાત્રાએ નીકળ્યા છે. આમતો મુકેશ પટેલ ને લોકો એમ કાંતિલાલ તરીકે ઓળખે છે. 'Modi Again' ટીશર્ટ પહેરી આશરે ૫૦૦થી વધુ લોકો શેરડી સાઈબાબાના દર્શન માટે પદયાત્રા કરી રહ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ વર્ષ ૨૦૧૯ માં ફરી એક વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને પદયાત્રાનું આયોજન કર્યુ છે.

લક્ઝરી કારોના શોખીન અને કારના માલિક આજે હજારો કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. સુરત થી શેરડી સુધીની પદયાત્રા કરનાર સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલ અને તેમની સાથે 500 જેટલા લોકો શેરડી પહોંચી ગયા છે. આ પ્રથમ ઘટના છે કે, સુરતના ઉદ્યોગ પતિ ૪૦૦ કિલોમીટર થી વધુની પદયાત્રા પોતાના પરિવાર અથવા તો બિઝનેસ માટે નહીં પરંતુ પીએમ મોદી માટે કરી રહ્યા છે. સુરતના ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મુકેશ પટેલ અને તેમના સાથીઓ 'Modi Again' સ્ટીકર વાળા ટીશર્ટ પહેરી ૯ નવેમ્બરના રોજ પદયાત્રા માટે નીકળ્યા છે. અને આજે ૧૬ નવેમ્બરના રોજ શીરડી સાંઇબાબાના દર્શન કર્યાં છે. 'Modi Again' માટે સાઈબાબા પાસે પ્રાર્થના કરી છે.

Next Story