Connect Gujarat
Featured

સુરત : કોરોના વેકસીનને લઈ વિવાદ ઉભો કરનાર કોંગ્રેસ મંદબુદ્ધિ છે :કેન્દ્રિય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

સુરત : કોરોના વેકસીનને લઈ વિવાદ ઉભો કરનાર કોંગ્રેસ મંદબુદ્ધિ છે :કેન્દ્રિય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
X

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે સુરતની મુલાકાતે હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા માયગ્રન્ટ સેલનો ઉદઘાટન કર્યા પછી તેઓ હજીરા ખાતે એલએન્ડટી કંપનીના કાર્યક્રમમાં ભાગ લેવા પહોચ્યા હતાં.

કોવિડ વેક્સીનેશનને લઈ જે રાજકારણ શરૂ થયું છે તેને લઈ તેઓએ જણાવ્યું હતું કે, જે લોકોની મંદબુદ્ધિ છે તેઓને ભારતના વૈજ્ઞાનિક ઉપર ભરોસો નથી જેઓને ભારતીયોના સત્ય ઉપર ભરોસો નથી એવા તથ્યવિહીન વાતો કરવામાં આવી રહી છે.. વેકસીન અમારા વૈજ્ઞાનિકો અને મેડિસિન બનાવનાર કંપનીઓ ની ઉપલબ્ધિ છે .દેશના નાગરિકો સ્વાગત કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના આ પહેલને લોકો સ્વીકારી રહ્યા છે. પરંતુ કેટલાક મંદબુદ્ધિ લોકો જે ક્યારેય પણ સુધરશે નહીં અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી નો નેતૃત્વ કે જેઓને તમામ વસ્તુઓમાં ખોટ નજર આવે છે. એવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે.

ખેડૂત આંદોલન લઈને તેઓએ જણાવ્યું હતું કે દેશના ખેડૂતો વડાપ્રધાન સાથે છે. જો દરેક ક્ષેત્રમાં રોકાણ થતું હોય તો શું કૃષિમાં રોકાણ ન થવું જોઈએ? પૂંજી રોકાણ વધારવા માટે કાયદો લાવવામાં આવ્યો છે.

Next Story