હવે સુરતથી મુંબઈ બ્રાંદ્રા-વર્લી સી લિંક સુધીની ક્રૂઝ સેવાની થઈ શરૂઆત
BY Connect Gujarat15 Nov 2019 2:39 PM GMT

X
Connect Gujarat15 Nov 2019 2:39 PM GMT
રાજ્ય સરકાર દ્વારા મુંબઈની એસએસઆર કંપનીને
આપવામાં આવેલી પરવાનગીને પગલે આજે સુરતથી મુંબઈ (બ્રાંદ્રા-વર્લી સી લિંક) સુધીની
ક્રૂઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આજે એસ્સાર જેટીથી આ ક્રૂઝને ફ્લેગ ઓફ કરવામાં
આવ્યું હતું.
આ બંને શહેરો વચ્ચે ‘મુંબઈ
મેઇડન’ નામની ક્રૂઝ સેવાનો શરૂઆતના ધોરણે અઠવાડિયામાં એક વખત
લાભ આપવામાં આવશે. ફેરી સર્વિસ દર ગુરૂવારે બાંદ્રા-વર્લી સી લિંકથી સાંજે 5
વાગ્યે નીકળશે અને શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા જેટી પહોંચશે. જે ફરી મુંબઈ જવા
શુક્રવારે સાંજે 5 વાગ્યે નીકળશે અને શનિવારે સવારે 9 વાગ્યે પહોંચાડશે.
હાલ 300 વ્યક્તિઓની
ક્ષમતાવાળી આ ક્રૂઝનું ભાડું 3 થી 5 હજારની વચ્ચે આંકવામાં આવી રહ્યું છે. આજે
મુંબઈથી આવી ચૂકેલા આ ક્રૂઝને હજીરા એસ્સાર જેટી ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું
હતું.
Next Story