સુરત : મોડાસા દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ
BY Connect Gujarat14 Jan 2020 7:35 AM GMT
X
Connect Gujarat14 Jan 2020 7:35 AM GMT
નિર્ભયા
સામુહિક દુષ્કર્મના કેસની જેમ મોડાસામાં બનેલી ઘટનામાં પણ આરોપીઓને ફાંસીની સજા
આપવામાં આવે તેવી માંગ ભીલીસ્તાન ટાઇગર સેનાએ કરી છે. સુરત ખાતે એકત્ર થયેલા
આગેવાનો અને કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
અરવલ્લી
મોડાસામાં19 વર્ષીય
યુવતીનો મૃતદેહ વૃક્ષ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારે યુવતી
સાથે દુષ્કર્મ કરાયો હોવાનો આક્ષેપ કરતાં સમગ્ર રાજયમાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો
પડયાં હતાં. ઘટના બાદ સુરતમાં પણ લોકોમાં રોષ જોવા મળી રહયો છે. ભીલીસ્તાન ટાઇગર સેનાના આગેવાનો અને કાર્યકરોએ સુરત કલેકટર આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની
સજા થાય તેવી માંગ કરી છે. જો માંગ ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર
આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
Next Story