Connect Gujarat
ગુજરાત

સુરત રોગચાળો વકર્યો ડીંડોલીમાં યુવકનું કમળા બાદ મોત,મૃત્યુ આંક 12 પર પહોંચ્યો

સુરત રોગચાળો વકર્યો ડીંડોલીમાં યુવકનું કમળા બાદ મોત,મૃત્યુ આંક 12 પર પહોંચ્યો
X

સુરત શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે.ઝાડા ઉલ્ટી ,તાવ ,વાયરલ ફીવર અને અન્ય પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગોના રોજે રોજ કેસ સિવિલ ,સ્મીમેર હોસ્પિટલ ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે.ગત રોજ ઝાડા ઉલટી બાદ કમળો થતા વધુ એકનું મોત નીપજ્યું છે. ચાલુ સિઝનમાં તાવ અને ઝાડા ઉલટીને લીધે અત્યાર સુધીમાં 12 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

સુરત શહેરમાં ઝાડા ઉલટીના અને તાવ કેસો માં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ પાણી જન્ય રોગચાળા થી એક પછી એક ના મોત થઇ રહ્યા છે. અત્યાર સુધી માં સુરત ખાતે 12 લોકોના મોત થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઈ છે. જેમાં તાજેતરમાં માં ડીંડોલી વિસ્તારમાં આવેલ ગણેશ નગરમાં રહેતો 40 વર્ષીય યુવાન દિપક અભિમન્યુ જાદવનું મોત થયું છે. યુવાનને કમળો થતા મોત નીપજ્યું છે.

જોકે મેધરાજા ના વિરામ બાદ શહેરમાં મચ્છર જન્ય રોગે માથું ઉચક્યું છે તંત્ર દ્વારા દવા ચટકાવાની કામગીરી શરુ કરી છે વહીવટી તંત્ર દ્વારા મેડીકલ મોબાઈલ વાન સુવિધા આપીને તમામ ના રીપોર્ટ કરી ચકાચાની હાથ ધરાઈ રહી છે

સુરત નવી સિવિલમાં કમળા ના દર્દી.

જૂન મહિનામાં 111

જુલાઈ મહિનામાં 99

ઓગસ્ટ મહિનામાં 60

કુલ 270

22 દિવસમાં સિવિલ માં

ગેસ્ટ્રો ના 183 દર્દી

મેલેરિયા ના 425 દર્દી

કમળા ના 15 દર્દી

મનપા સર્વે માં

ટાઈફોઈડ ના 29 દર્દી

ડેન્ગ્યુ ના 11 દર્દી નોંધાયા

Next Story