Connect Gujarat
ગુજરાત

સુરતઃ જાણીતા ગાયનેકોલોજીસ્ટે દુષ્કર્મ આચર્યું હોવાનો પરિણીતાનો આક્ષેપ

સુરતઃ જાણીતા ગાયનેકોલોજીસ્ટે દુષ્કર્મ આચર્યું હોવાનો પરિણીતાનો આક્ષેપ
X

સુરતમાં પ્રથમ IVF હોસ્પિટલ લાવનાર ગોયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોષી વિરૂધ્ધ પરિણીતાએ નોંધાવી ફરિયાદ

સુરત શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ પર એક પરિણિતા દ્વારા દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવતા ચકચાર મચી છે. પુત્ર પ્રાપ્તિની સારવાર માટે આવેલી પરિણીતાને ચેમ્બરમાં બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગાયનેકોલોજિસ્ટ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો પરિણીતાને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં પ્રથમ IVF હોસ્પિટલ લાવનાર ગોયનેકોલોજિસ્ટ છે ડો. પ્રફુલ દોષી.

સુરતના નાનપુરા ખાતે આવેલી મી એન્ડ મમ્મીના નામથી જાણીતા ગોયનેકોલોજિસ્ટ ડો. પ્રફુલ દોષી પર અઠવા વિસ્તારની પરિણીતા પુત્ર પ્રાપ્તિની સારવાર અર્થે હોસ્પિટલ ગઈ હતી. પરિણીતા દ્વારા દુષ્કર્મનો આરોપ મુકતા જણાવ્યું હતુ હતુ. કે, તેઓને મંગળવારના રોજ 11 કલાકે ડો. પ્રફુલ દ્વારા તેમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ તેમની કેબીનમાં પીડીતાને લઈ ગયા હોય દરમિયાન ડો. પ્રફુલે પીડીતાને ઈન્જેકશનના બહાને તેની કેબીનમાં અંદર લઈ ગયા બાદ તેની સાથે શારિરીક સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી.

ઉપરાંત ડો. પ્રફુલ દોષી દ્વારા મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પીડીતા ડો. પ્રફુલની ધમકી હેબતાઈ ગઈ હતી. બાદમાં ઘરે આવીને પતિ અને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ભોગ બનેલી પરિણીતાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. દરમિયાન પોલીસે મોડી રાત્રે દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પીડીતાને મેડીકલ તપાસ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.

Next Story