સુરત : બે મહિનાથી બંધ સુરત- ભોપાલની ફલાઇટ ફરી શરૂ કરાશે
BY Connect Gujarat15 March 2020 8:28 AM GMT
X
Connect Gujarat15 March 2020 8:28 AM GMT
સુરત અને ભોપાલ વચ્ચે બે મહિનાથી
બંધ થયેલી ભોપાલની ફલાઇટને 15મી મેથી ફરી શરૂ કરવામાં આવશે. ઇન્ડીગોની ફલાઇટ કલકત્તાથી
ભોપાલ થઇને સુરત આવશે.
આગામી 15 મે થી
સુરત-ભોપાલ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ થશે અગાઉ સ્પાઇસ જેટ દ્વારા સુરત ભોપાલ
ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી પરંતુ મુસાફરોનો નબળો પ્રતિસાદ મળતા બે મહિનામાં જ
આ ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી. હવે ઈન્ડિગોની ફ્લાઇટ કલકત્તાથી ભોપાલ થઈ સુરત
આવશે. આગામી દિવસોમાં એરલાઇન કંપની ઇન્ડીગો સુરતથી વધુ નવા રૂટની જાહેરાત કરી શકે
છે. ઇન્ડીગો આ સેકટરમાં વધારે મુસાફરોનું વહન કરી શકે તેવા વિમાન મુકવા પણ જઇ રહી
છે. બે મહિનાથી બંધ ભોપાલની ફલાઇટ ફરી શરૂ થતાં ગુજરાત અને મધ્યપ્રદેશના મુસાફરોને
રાહત સાંપડશે.
Next Story