Connect Gujarat
ગુજરાત

સુરત : બે મહિનાથી બંધ સુરત- ભોપાલની ફલાઇટ ફરી શરૂ કરાશે

સુરત : બે મહિનાથી બંધ સુરત- ભોપાલની ફલાઇટ ફરી શરૂ કરાશે
X

સુરત અને ભોપાલ વચ્ચે બે મહિનાથી

બંધ થયેલી ભોપાલની ફલાઇટને 15મી મેથી ફરી શરૂ કરવામાં આવશે. ઇન્ડીગોની ફલાઇટ કલકત્તાથી

ભોપાલ થઇને સુરત આવશે.

આગામી 15 મે થી

સુરત-ભોપાલ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ થશે અગાઉ સ્પાઇસ જેટ દ્વારા સુરત ભોપાલ

ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી પરંતુ મુસાફરોનો નબળો પ્રતિસાદ મળતા બે મહિનામાં જ

આ ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી. હવે ઈન્ડિગોની ફ્લાઇટ કલકત્તાથી ભોપાલ થઈ સુરત

આવશે. આગામી દિવસોમાં એરલાઇન કંપની ઇન્ડીગો સુરતથી વધુ નવા રૂટની જાહેરાત કરી શકે

છે. ઇન્ડીગો આ સેકટરમાં વધારે મુસાફરોનું વહન કરી શકે તેવા વિમાન મુકવા પણ જઇ રહી

છે. બે મહિનાથી બંધ ભોપાલની ફલાઇટ ફરી શરૂ થતાં ગુજરાત અને મધ્યપ્રદેશના મુસાફરોને

રાહત સાંપડશે.

Next Story