સુરત : લોકડાઉનમાં ઉદ્યોગો આવ્યા મરણ પથારીએ, શ્રમિકોની અછતના કારણે કરોડોની ખોટ
કોરોના વાયરસના કારણે લોકડાઉનના પગલે સુરતનું પ્રોસેસિંગ ઉધોગ મરણ પથારીએ આવી ગયું છે. સરકાર દ્વારા ઔધ્યોગિક એકમો શરૂ કરવા માટે મંજૂરી તો આપી છે. પરંતુ શ્રમિકોની અછતના કારણે 2 મહિનામાં જ ઉદ્યોગોને કરોડોની ખોટ થઈ છે.
સુરતના કાપડ પ્રોસેસિંગ એકમો મરણ પથારીએ આવી ગયા છે. છેલ્લા 2 મહિનાથી બંધ ઉધોગને 800 કરોડ રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉધોગમાં કામ કરતા શ્રમિકો પોતાના વતન તરફ હિજરત કરી ગયા છે. જોકે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, ત્યારે માત્ર 15 ટકા શ્રમિકો સાથે આ ઉધોગ શરૂ કરવો શક્ય નથી. જોકે આગામી 2 મહિના સુધી આ ઉધોગ શરૂ થાય તેવું નથી લાગતું નથી, ત્યારે અંદાજિત બીજા 1 હજાર કરોડ જેટલું નુકશાન વેઠવાની તૈયારી ઉદ્યોગકારોએ રાખવી પડશે. જોકે આગામી દિવસોમાં તહેવાર આવતા હોવાથી ગ્રાહકી નીકળે તેવું લાગી રહ્યું છે. પરંતુ શ્રમિકો વગર આ ઉધોગ શરૂ કેમ કરવો તે મુંજવણ સૌથી વધુ પ્રોસેસિંગ એકમોના માલિકને સતાવી રહી છે.