Connect Gujarat
ગુજરાત

સુરતઃ ઝાડી ઝાંખરામાં દાટેલા બાળકનાં મૃતદેહને મેજીસ્ટ્રેટની હાજરીમાં બહાર કઢાયો

સુરતઃ ઝાડી ઝાંખરામાં દાટેલા બાળકનાં મૃતદેહને મેજીસ્ટ્રેટની હાજરીમાં બહાર કઢાયો
X

ફોરેન્સિક પી.એમ બાદ જ સાચી જ હક્કીત શું છે તે બહાર આવશે

સુરતનાં પાંડેસર વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા બાળકના મૃતદેહનને દાટવામાં આવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતુ. પોલીસે આજે મેજીસ્ટ્રેટની હાજરીમાં બાળકનાં મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર બાબત ઉપરથી પડદો ઉંચકાશે તેવું પોલીસનું માનવું છે.પાંડેસરમાં આવેલ જિયાવ બુઢિયા રોડ પર આવેલી ઝાડી ઝાંખરામાં અજાણ્યા શખ્સ દ્વારા બાળકનો મૃતદેહ દાટવામાં આવ્યો હતો. આ અંગે પાંડેસર પોલીસને શંકા જતા જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી. આજે મેજીસ્ટ્રેટની હાજરીમાં બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોરેન્સિક પી.એમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. મૃતદેહ નવજાત બાળકનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જો કે લાશનું ફોરેન્સિક પી.એમ કર્યા બાદ જ સાચી હક્કીત શુ છે તે બહાર આવશે.

Next Story