Connect Gujarat
ગુજરાત

સુરત: પરપ્રાતીય પર કરેલા નિવેદનને લઈને સુરતમાં સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયું આવેદન

સુરત: પરપ્રાતીય પર કરેલા નિવેદનને લઈને સુરતમાં સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયું આવેદન
X

નવસારીમાં વિજલપોર પાલિકાના માજી પ્રમુખ દ્વારા પરપ્રાતીય પર કરેલા નિવેદનને લઈને સુરતમાં સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

નવસારીમાં યોજાયેલા એક ટીવી ચેનલના ડીબેટમાં વિજલપોર પાલિકાના માજી પ્રમુખહેમલતાબેન ચૌહાણ દ્વારા પરપ્રાંતીય લોકો માટે કરેલા નિવેદનને ફરી એક વખત વિવાદ સર્જાયો છે.

નવસારી કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ગંગાઘર શુક્લા દ્વારા વિજલપોર નગરજનોને સતાવતી પાણીની સમસ્યા અંગે રજૂઆત કરતા ત્યાં હાજર ભાજપના મહિલા નેતાએ સતત કહ્યું હતું કે આ લોકો બહારથી આવે છે અને અહી સમસ્યા હોય તો તેઓ અહી આવ્યા જ ના હોત.

તેઓએ વધુમાં કહ્યું હતું કે દરેક કાર્યક્રમમાં પાણીના પ્રશ્નોને લઈને જ રજૂઆત કરે છે. પણ તેમને આ અંગે બોલવાનો કોઈ જ અધિકાર નથી તેમને પાણીની સમસ્યા સતાવતી હોય તો તેઓએ તાકીદે નવસારી છોડી દેવું જોઈએ. આ નિવેદનને લઈને સુરતમાં સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Next Story