Connect Gujarat
Featured

સુરત : પાંડેસરામાં બન્યો હત્યાનો બનાવ, અંગત અદાવતે હત્યા કરાઈ હોવાના અનુમાન સાથે પોલીસ તપાસ શરૂ

સુરત : પાંડેસરામાં બન્યો હત્યાનો બનાવ, અંગત અદાવતે હત્યા કરાઈ હોવાના અનુમાન સાથે પોલીસ તપાસ શરૂ
X

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે હત્યાનો બનાવ બન્યો હતો ત્યારે અંગત અદાવત કે ઝઘડામાં યુવાનની હત્યા કરાઈ હોવાના અનુમાન સાથે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માથાભારે ઇસમોએ પિન્ટુ પ્રધાન નામના યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરતાં ચકચાર મચી છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સીતાનગર વિસ્તારમાં રહેતા રોશમ અને રાહુલ નામના 2 માથાભારે ઈસમોએ પિન્ટુ પ્રધાનને ઘર નજીક બોલાવી તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. જોકે ત્રણેય શખ્સો વચ્ચે મિત્રતા હોવાનું પણ જાણવા મળ્યું છે. માથાભારે હોવાથી શખ્સો વિરુદ્ધ અગાઉ પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે. જોકે પિન્ટુ પ્રધાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે, તે હજી જાણવા મળ્યું નથી. પરંતુ અંગત અદાવત કે, ઝઘડામાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story