સુરત : મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં હરિપુરા ગામે યોજાયો “પરાક્રમ દિવસ”, નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કરાયા

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે “પરાક્રમ દિન”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે સુરત જિલ્લા ભાજપ દ્વારા પરાક્રમ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વીજય રૂપાણી વિશેષ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હરિપુરા ચોકમાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ મુખ્યમંત્રીએ ગામમાં સુભાષબાબુના સ્મારકની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું. શણગારેલા 51 બળદગાડા સાથે પરંપરાગત આદિવાસી નૃત્યો સહિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જાજરમાન બળદગાડામાં સવાર થઈને મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું. કાર્યક્રમ સભા ગજવતા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝે ‘તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા’ના નારા સાથે અંગ્રેજો સામે જંગ છેડી હતી.
‘જીવીશુ તો દેશ માટે, મરીશુ તો દેશ માટે’ના જીવન મંત્ર સાથે સુભાષબાબુએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું, તેમ જણાવી મુખ્યમંત્રીએ સુભાષબાબુ જીવતા હોત તો ઈઝરાઈયલની જેમ સમગ્ર દેશ માથુ ઊચું કરીને જીવી રહ્યો હોત તેમ વધુમાં જણાવ્યું હતું. કાર્યક્રમ વેળા મુખ્યમંત્રી વીજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર સાથે કહ્યું હતું કે, પરિવારવાદની જનક કોંગ્રેસે દેશની આઝાદીના મહત્વના સ્વાતંત્ર સેનાનીઓ સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ શર્મા સહિતના નેતાઓનું યોગદાન ભુલાવી દીધું હતું. પરંતુ હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવતા સમગ્ર દેશનું નામ વિશ્વ ફલક પર ઉજાગર થયું છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ-દહેજને જોડતા જર્જરિત નંદેલાવ ફ્લાયઓવર બ્રિજ પર ભારદારી વાહનોની...
29 Jun 2022 9:18 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથને ચંદનના લેપ કરી આંખે પાંટા બાંધી કરાઇ...
29 Jun 2022 9:12 AM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ પૂર્ણ થયા બાદ ભંડારો યોજાયો,પૂર્વ...
29 Jun 2022 9:06 AM GMTઅંકલેશ્વર: રથયાત્રા પૂર્વે રિક્ષામાંથી હથિયારો સાથે 5 આરોપી ઝડપાયા
29 Jun 2022 8:24 AM GMTગોધરાના મોરવાહડફમાંથી સરકાર દ્વારા બંધ કરાયેલ જૂની ચલણી નોટો ઝડપાઇ,...
29 Jun 2022 8:20 AM GMT