Home > Featured > સુરત : પાસના નેતા ધાર્મિક માલવીયાની કોંગ્રેસ પ્રતિ નારાજગી, જુઓ કોણ દોડયું તેમને મનાવવા
સુરત : પાસના નેતા ધાર્મિક માલવીયાની કોંગ્રેસ પ્રતિ નારાજગી, જુઓ કોણ દોડયું તેમને મનાવવા
BY Connect Gujarat8 Feb 2021 12:34 PM GMT
X
Connect Gujarat8 Feb 2021 12:34 PM GMT
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે ગુંચવાયેલું કોકડું ઉકેલવા માટે પુર્વ વિપક્ષી નેતા પપન તોગડીયા મેદાનમાં આવ્યાં છે.
કોંગ્રેસ તરફી સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિની નારાજગી દૂર કરવા માટે સુરત કોંગ્રેસ અને સમાજના વડીલો મેદાનમાં આવ્યાં છે. પાસના નેતા ધાર્મિક માલવીયાએ છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્ર ન ભરતા કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી થઇ હતી. બીજી તરફ પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસને સભા ન કરવા દેવા અંગેની પણ ચીમકી પાસ તરફથી આપવામાં આવતા કોંગ્રેસ હરકતમાં આવી છે. પુર્વ વિપક્ષ નેતા પપન તોગડીયાએ જણાવ્યું હતું કે, પાસ સમિતિ અને કોંગ્રેસ આંદોલન પહેલા પણ સાથે હતી અને હાલ પણ સાથે જ છે. જે કાંઈ મતભેદો છે તેનું ટુંક સમયમાં નિરાકરણ આવી જશે.
Next Story