Connect Gujarat
સમાચાર

સુરત : પાંડેસરામાં બે જુથ વચ્ચે ઝગડામાં બે ઇસમો પર હુમલો, એકનુ મોત

સુરત : પાંડેસરામાં બે જુથ વચ્ચે ઝગડામાં બે ઇસમો પર હુમલો, એકનુ મોત
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ દીપ જ્યોત સોસાયટીમાં બે ઇસમો વચ્ચે માથાકૂટમાં લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા એક ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને અન્ય ઇસમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં લોકડાઉન દરમિયાન પણ ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સુરત શહેરમાં હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત છે. પોલીસ કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ દીપ જ્યોત સોસાયટી માં બે જૂથ વચ્ચે બબાલ થઇ હતી જેમાં બે ઇસમો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારી બંને ઇસમને ઈજાગ્રસ્ત કરવામાં આવતા બંને ને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક ઇસમનું મોત નીપજ્યું હતું અન્ય ઇસમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જોકે ઈજાગ્રસ્ત યુવકે સ્થાનિક નગરસેવક સામે આક્ષેપ કર્યા હતા.

Next Story