Connect Gujarat
Featured

સુરત : કોરોના વાયરસના સંક્રમણને કારણે યુવકે પોતાના લગ્ન કર્યા મોકૂફ, લોકોની સલામતીનું રખાયું ધ્યાન

સુરત : કોરોના વાયરસના સંક્રમણને કારણે યુવકે પોતાના લગ્ન કર્યા મોકૂફ, લોકોની સલામતીનું રખાયું ધ્યાન
X

કોરોના કહેરની વચ્ચે લોકોની સલામતીને ધ્યાનમાં રાખી સુરતમાં એક યુવાને પોતાના લગ્ન મોકૂફ કર્યા છે. યુવાનના લગ્ન તા. 29 માર્ચ રોજ સોનગઢ ખાતે રહેતી યુવતી સાથે થવાના હતા.

સુરતના ડીંડોલી સણીયા ખાતે આવેલ ગોકુળધામ સોસાયટીમાં રહેતા ચેતન પવારના તા. 29 માર્ચના રોજ સોનગઢ ખાતે રહેતી અનિતા નામની યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા. ઉપરાંત તેઓના લગ્નની કંકોત્રી પણ સગા-સંબંધીઓમાં વહેચાઈ ગઈ હતી. હાલ દેશભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ચેતન પવારે જાગૃતતા બતાવી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી પોતાના લગ્ન મોકૂફ કર્યા છે. જ્યારે બીજી તરફ કોરોનાનો કહેર વધી જતા ચેતન પવારે પોતાના લગ્ન મોકૂફ રાખી આવનારા દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવી તારીખ નક્કી કરવામાં આવશે.

Next Story