Connect Gujarat
સુરત 

સુરત: ઉદયપુરના કનૈયાની હત્યાની ટીકા કરનાર યુવાનને પણ મળી ગળું કાપી નાખવાની ધમકી,પોલીસે ગનમેનની સુરક્ષા આપી

સુરત શહેરમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા

સુરત: ઉદયપુરના કનૈયાની હત્યાની ટીકા કરનાર યુવાનને પણ મળી ગળું કાપી નાખવાની ધમકી,પોલીસે ગનમેનની સુરક્ષા આપી
X

રાજસ્થાનના ઉદયપુરમાં નૂપુર શર્માનું સમર્થન કરનાર કનૈયાલાલની ઘાતકી હત્યાને સખત શબ્દોમાં વખોડનાર સુરત શહેરના એક યુવકને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી મળવાથી ચકચાર મચી જવા પામી છે. જે રીતે કનૈયાલાલની ગળું કાપી હત્યા કરાઈ છે તેવી જ રીતે સુરતના યુવકની હત્યા કરવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે. જેને લઈને યુવકે પોલીસ કમિશનરની કરેલી અરજી આધારે યુવકને ગનમેનની સુરક્ષા આપવામાં આવી છે.

સુરત શહેરમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા ઉદયપુરમાં સામાન્ય દુકાનદારની હત્યા અને ત્યારબાદ તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરનાર બન્ને યુવકો દ્વારા આચરવામાં આવેલા જધન્ય હત્યાકાંડનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેના પગલે ઇન્સ્ટાગ્રામ પર તેને એક અન્ય મુસ્લિમ યુવક દ્વારા ધમકી મળતાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અલબત્ત ધમકીને પગલે યુવરાજના પરિવારજનોમાં પણ ચિંતા પ્રસરી જવા પામી છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા યુવરાજ પોખરણા નામના યુવક દ્વારા હાલમાં જ ઉદયપુર ખાતે દરજી કનૈયાલાલની હત્યા સંદર્ભે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. જેને પગલે ફૈઝલ નામના યુવક દ્વારા તેને ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર યુવકે લખ્યું હતું કે, ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.

Next Story