સુરત : જનેતાએ 3 વર્ષીય પુત્રની હત્યા કરી ફાંસો ખાધો, ચિઠ્ઠીમાં લખ્યું, I am sorry Rishu
એક માતા કદાપિ પુત્રની હત્યા ન કરી શકે પણ સુરતમાં પતિ અને સાસુના ત્રાસથી ત્રસ્ત બનેલી પરણિતાએ પુત્રની હત્યા
એક માતા કદાપિ પુત્રની હત્યા ન કરી શકે પણ સુરતમાં પતિ અને સાસુના ત્રાસથી ત્રસ્ત બનેલી પરણિતાએ પુત્રની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો છે.
સુરત શહેરમાં રાંદેર ઊગત રોડ વિસ્તારમાં માતાએ ત્રણ વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.મૃતક મહિલાના પિતા અરવિંદ પરમારે જણાવ્યું હતું કે મારી દીકરી પિંકી અને રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક રીંકુબેને લખેલી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં તેમણે પોતાના પતિ અને સાસુના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમણે પોતાના પુત્ર રીશુને ખુબ પ્રેમ કરતાં હોવાનું તથા આ રીતે મોત આપવા બદલ તેની માફી પણ માંગી છે. પતિનું અન્ય મહિલા સાથે અફેર હોવાથી મૃતક રીંકુબેન પિયરમાં રહેતાં હતાં.
સુરત : જનેતાએ 3 વર્ષીય પુત્રની હત્યા કરી ફાંસો ખાધો, ચિઠ્ઠીમાં લખ્યું, I am sorry Rishu