Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં પતંગ-દોરાથી મૃત્યુ પામેલા પક્ષીઓની “અંતિમ યાત્રા” કાઢી અપાયો “અગ્નિસંસ્કાર”

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં પતંગ-દોરાથી મૃત્યુ પામેલા પક્ષીઓની “અંતિમ યાત્રા” કાઢી અપાયો “અગ્નિસંસ્કાર”
X

ઉત્તરાયણના પર્વમાં લોકો પતંગ ઉડાડીને

આનંદ માણતા હોય છેમ, ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થઈ મૃત્યુ પણ પામતા

હોય છે, ત્યારે સુરેન્દ્રનગર

જિલ્લાના ધ્રાંગધ્રામાં પતંગ-દોરાથી મૃત્યુ પામેલા પક્ષીઓને અરાઈશ ગ્રુપના સભ્યો દ્વારા તેમની અંતિમ યાત્રા કાઢી અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા.

ઉત્તરાયણ નજીક આવતા જ અરાઈશ ગ્રુપના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં

આવે છે કે, તમે પતંગ ઉડાડીને જે આનંદ કરો છો, તો આ પક્ષીઓને બને

ત્યા સુધી ઇજા ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવું. ઉપરાંત

જો કોઈ પક્ષી પતંગ-દોરાથી ઘાયલ થાય તો તેને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે પણ કેટલાક પક્ષીઓના મૃત્યુ થયા હતા, જે મૃત પક્ષીઓની અંતિમ યાત્રાને શહેરના મુખ્ય માર્ગ ઉપર કાઢવામાં આવી હતી. આ વિધિમાં ગ્રામજનો પણ મોટી સંખ્યામાં

જોડાયા હતા. આ વર્ષે ઉતારયણમાં 12થી 14 પક્ષીઓના મૃત્યુ થયા હતા, જયારે 40 જેટલા પક્ષીઓ ઘાયલ થયા છે. હાલ ગ્રુપના સભ્યો દ્વારા આગામી વર્ષોમાં પક્ષીઓના મૃત્યુમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.

Next Story