Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની કરી હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની કરી હત્યા, પોલીસે શરૂ કરી તપાસ
X

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી આધેડની હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા, ત્યારે આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રા ખાતે જડેશ્વર મહાદેવ મંદિરની પાછળ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે આધેડની હત્યા નિપજાવવામાં આવી હતી, ત્યારે આધેડની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસ તપાસમાં મૃતક આધેડ લગધીરભાઈ ઉર્ફે કાળુભાઇ ઠાકોરની હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે ગણતરીના કલાકોમાં જ સીટી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. જોકે ફરાર વધુ 3 આરોપીને વહેલી તકે ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story