Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : ખેરાળી-માળોદ નજીક રિક્ષા કેનાલમાં ખાબકી, રેસક્યું કરી 3 લોકોને બચાવ્યા બાદ 1 મહિલાની શોધખોળ હાથ ધરાઇ

સુરેન્દ્રનગર : ખેરાળી-માળોદ નજીક રિક્ષા કેનાલમાં ખાબકી, રેસક્યું કરી 3 લોકોને બચાવ્યા બાદ 1 મહિલાની શોધખોળ હાથ ધરાઇ
X

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી-માળોદ માર્ગ નજીક રીક્ષાનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષા પલટી મારી કેનાલમાં ખાબકતા આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી હતી.

વઢવાણ તાલુકાના ખેરાળી-માળોદ માર્ગ પરથી પસાર થતી એક રીક્ષાનું ટાયર અચાનક

ફાટી ગયું હતું, ત્યારે રિક્ષાચાલકનો સ્ટિયરિંગ ઉપર કાબૂ ન રહેતા રિક્ષા સીધી કેનાલમાં

ખાબકી હતી. રિક્ષા કેનાલમાં ખાબકતાની સાથે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી જવા

પામી હતી. બનાવની જાણ થતાં જ વઢવાણ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, કેનાલમાં ખાબકેલી રિક્ષામાં રિક્ષાચાલક સહિત અન્ય 3 જેટલા મુસાફરો સવાર

હતા, જેઓને ગ્રામજનો અને વઢવાણ ફાયર ફાયટરની ટીમે

રેસક્યું હાથ ધરી બચાવી લીધા હતા. જોકે મોડી સાંજ સુધી

એક મહિલાનો પત્તો ન લાગતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. હાલ તો સુરેન્દ્રનગર

પોલીસે આ મામલે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story