Connect Gujarat
Featured

સુરેન્દ્રનગર : શિકારીઓએ ગર્ભવતી નીલ ગાયનો કર્યો શિકાર, મૃત હાલતમાં બચ્ચાના ભૃણ મળી આવતા પશુપાલકોમાં રોષ

સુરેન્દ્રનગર : શિકારીઓએ ગર્ભવતી નીલ ગાયનો કર્યો શિકાર, મૃત હાલતમાં બચ્ચાના ભૃણ મળી આવતા પશુપાલકોમાં રોષ
X

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-નળીયા માર્ગ નજીકથી ગર્ભવતી નીલ ગાયનો શિકાર કરી શિકારીઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે ઘટના સ્થળેથી નીલ ગાયના ગર્ભમાં રહેલ બચ્ચાના ભૃણ પણ મૃત હાલતમાં મળી આવતા પશુપાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામ નજીક આવેલ નળીયા માર્ગના સીમ વિસ્તારમાં અજાણ્યા શિકારીઓ દ્વારા ગર્ભવતી નીલ ગાયનો શિકાર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પશુપાલક અને માલધારી સમાજના આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે શિકારીઓએ શિકાર કર્યા બાદ નીલ ગાયનું માંસ લઈ ગયા હતા. જોકે નીલ ગાયના ગર્ભમાં રહેલા 2 બચ્ચાના ભૃણ પણ ઘટના સ્થળેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોકે અહીના વિસ્તારમાં અવારનવાર આ પ્રકારના બનાવો બનતા હોવાથી વન વિભાગના આર.એફ.ઓ. દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story