Home > Featured > સુરેન્દ્રનગર : કાશીપરા ગામે આવારા તત્વોનો આતંક, સ્મશાનમાં નુકશાન પહોચાડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર : કાશીપરા ગામે આવારા તત્વોનો આતંક, સ્મશાનમાં નુકશાન પહોચાડતા ગ્રામજનોમાં રોષ
BY Connect Gujarat23 Dec 2020 7:28 AM GMT
X
Connect Gujarat23 Dec 2020 7:28 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાશીપરા ગામે કેટલાક આવારા તત્વો દ્વારા સ્મશાનની જમીનમાં નુકશાન પહોચડવામાં આવ્યું છે, ત્યારે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કાશીપરા ગામે ગત રાત્રિ દરમ્યાન સ્મશાનની જમીનમાં વાવેલા 300 જેટલા વૃક્ષો તેમજ ટપક પદ્ધતિની પાણીની લાઇનને કેટલાક આવારા તત્વોએ નુકશાન પહોચાડ્યું હતું. કાશીપરા ગામે સ્મશાનમાં વાવેલા વૃક્ષો તેમજ પાણીની લાઈનને તોડી પાડી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
Next Story