Home > Featured > સુરેન્દ્રનગર : એક તરફ લોકડાઉન તો બીજી તરફ લોકસેવા, જરૂરીયાતમંદોને કરાયું શાકભાજીનું વિતરણ
સુરેન્દ્રનગર : એક તરફ લોકડાઉન તો બીજી તરફ લોકસેવા, જરૂરીયાતમંદોને કરાયું શાકભાજીનું વિતરણ
BY Connect Gujarat28 March 2020 10:06 AM GMT
X
Connect Gujarat28 March 2020 10:06 AM GMT
હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે સુરેન્દ્રનગરનું યુવક મંડળ લોકસેવા કરવા માટે આગળ આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ભગવતી યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ દરેક જ્ઞાતિના લોકોને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવતી યુવક મંડળના યુવાનો દ્વારા જે તે વિસ્તારમાં જઈ લોકોને શાકભાજીનું વિતરણ કર્યું હતું, ત્યારે પ્રથમ દિવસે જ 250થી વધુ શાકભાજીની કીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક કિટની અંદર 2થી 3 કિલો જેટલી અલગ અલગ શાકભાજી આપીને લોકસેવાનું એક સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે.
Next Story