ટીમ ઈન્ડિયા: ન્યૂઝીલેન્ડ સામે 5 ટી-20 મેચ માટે તૈયાર, રોહિત અને શમીની ટીમ ઈન્ડિયામાં વાપસી
BY Connect Gujarat13 Jan 2020 3:18 AM GMT
X
Connect Gujarat13 Jan 2020 3:18 AM GMT
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાંચ ટી-20 મેચોની સિરીજ માટે ટીમ ઇન્ડિયાની
જાહેરાત કરી દેવામાં આવી છે. સ્ક્વોડમાં મોટા ફેરફાર કરતા માત્ર સંજૂ સેમસનને ટીમ
બહાર કરવામાં આવ્યા છે અને મોહમ્મદ શમી અને રોહિત શર્માને આરામ પછી ટીમમાં પાછા
બોલાવવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ ભારત ટીમની 2020 વર્ષની પહેલી વિદેશ
યાત્રા છે, જેમાં ટીમ 5
ટી-20, ત્રણ વનડે
અને બે ટેસ્ટ મેચ રમશે.
24 જાન્યુઆરીથી શરુ થતી આ યાત્રામાં ટીમ ઇન્ડિયામાં કેએલ રાહુલ આ ન્યૂઝીલેન્ડ સામેની સિરીજમાં ઋષભ પંતના બેકઅપ વિકેટકીપર રહેશે.
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાના આ રમતવીરો કરશે પ્રદર્શન:
વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયશ અય્યર, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બહુરાહ, નવદીપ સૈની, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, મનીષ પાંડે, ઋષભ પંત અને કુલદીપ જાદવ
Next Story