Connect Gujarat
ટેકનોલોજી

ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પર નીતિન ગડકરીની ચેતવણી, સંબંધિત કંપની પર ભરાશે પગલા

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ પર નીતિન ગડકરીની ચેતવણી, સંબંધિત કંપની પર ભરાશે પગલા
X

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ટ્વીટ કરતી વખતે, તેમણે આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને જો બેદરકારી જોવા મળે તો સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લાદવાનું કહ્યું હતું.

નીતિન ગડકરીએ આ ઉપરાંત એક નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી છે, જે ઇલેક્ટ્રિક વાહનો માં આગ લાગવાની ઘટનાની માહિતી એકત્ર કરશે એટલું જ નહીં પરંતુ આ અકસ્માતને રોકવા માટે જરૂરી સૂચનો પણ આપશે. આ કમિટી રિપોર્ટ તૈયાર કરશે, જેના આધારે ક્વોલિટી સેન્ટ્રીક ઈલેક્ટ્રિક વાહનોને લઈને ગાઈડલાઈન આપવામાં આવશે.કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે, હાલમાં કંપનીઓએ તે તમામ ઈલેક્ટ્રિક વાહનોને પાછા ખેંચી લેવા જોઈએ જેમાં આવી ખામીઓ છે.તાજેતરમાં જિતેન્દ્ર EV કંપનીના 20 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર માં આગ લાગી હતી અને આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

અહેવાલો અનુસાર, આ સ્કૂટર નાસિકની ફેક્ટરી માંથી લેવામાં આવી રહ્યા હતા. કન્ટેનરમાં કુલ 40 જિતેન્દ્ર ઇલેક્ટ્રિક સ્કૂટર હતા, જેમાંથી 20 સ્કૂટરમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી એવું અનુમાન કરવામાં આવ્યું છે કે લિથિયમ-આયન બેટરી નુકસાન અથવા શોર્ટ-સર્કિટને કારણે આવું થયું છે. લિથિયમ-આયન બેટરી માં આગ ઓલવવી મુશ્કેલ છે. જ્યારે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે તે તરત જ હાઇડ્રોજન ગેસ અને લિથિયમ-હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન ગેસ તેની ઉચ્ચ જ્વલનશીલતાને કારણે મોટી સમસ્યા છે

Next Story